
IPL 2022 ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો મહત્વ નો નિર્ણય લીધો છે. ધોની એ ચેન્નાઇ સુપરકિંગ્સ ની કપ્તાની છોડી ને ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ચેન્નાઈએ એક નિવેદન જાહેર કર્યુ અને તેમાં જણાવ્યુ કે “એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની બાગડોર સંભાળવાનું નક્કી કર્યું છે અને ટીમનું નેતૃત્વ કરવા માટે રવિન્દ્ર જાડેજાને પસંદ કર્યો છે. જાડેજા 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો છે, જે CSKનું નેતૃત્વ કરે છે. આમ કરનાર ત્રીજો ખેલાડી. ધોની આ સિઝનમાં અને પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.”
MS Dhoni Qute Captancy

મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે અને તેણે પોતાની કેપ્ટનશિપમાં ચાર વખત ચેન્નાઈને આઈપીએલ ટાઈટલ જીતાડ્યું છે. ચેન્નાઈએ વર્ષ 2010, 2011, 2018 અને 2021માં IPL ટ્રોફી જીતી હતી. આ સિવાય ટીમ ઘણી વખત ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ ટાઇટલ મેળવવાથી ચુકી ગઇ હતી. ધોનીની કપ્તાની હેઠળ, ચેન્નાઈ IPLની સૌથી શક્તિશાળી ટીમ મનાય છે અને તેણે અત્યાર સુધી પોતાનો દરેક ટિમ સામે દબદબો જાળવી રાખ્યો છે. જાડેજા ટીમનું નેતૃત્વ કેવી રીતે કરશે અને ટીમ કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. જાડેજા પણ છેલ્લા ઘણા સમયથી ટીમ માટે ઘણો મહત્વનો ખેલાડી સાબિત થયો છે. આ વખતે તે એક નવા રોલમાં જોવા મળશે.
ચેન્નાઈના મતે, ધોનીએ ભલે જાડેજાને કેપ્ટન્સી સોંપી હોય, પરંતુ તે એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. આનો ફાયદો ટીમને ચોક્કસ મળશે. ધોની માત્ર કેપ્ટનશીપથી ટીમને આગળ લઈ જતો નથી, પરંતુ તે એક શાનદાર ફિનિશરની ભૂમિકા પણ ભજવે છે. છેલ્લી સિઝનમાં તેણે પોતાની ઝડપી ઇનિંગ્સ વડે ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીના નિર્ણયથી સવાલ ઉઠે છે કે શું તે આ સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે? ધોની તેના ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતો છે અને આ પ્રશ્નનો જવાબ ઘણો મુશ્કેલ છે.